સદવિચાર પરિવાર ગોધરા સંચાલિત પી.ટી. મીરાણી હોસ્પિટલ માં હેનોચ શોનલિન પરપુરા રોગ નું નિદાન અને સારવાર

સદવિચાર પરિવાર ગોધરા સંચાલિત ગોધરા ની પી.ટી.મીરાણી હોસ્પિટલ માં બાળ રોગ વિભાગ ની શરૂઆત ગત માસ માં જ થઈ છે. આ વિભાગની શરૂઆત થતા વેંત જ ગોધરા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના ૦ થી ૧૮ વર્ષ ના બાળકો અત્રે ઉપલબ્ધ તમામ સેવા ઓ નો લાભ મેળવી રહ્યા છે. સંસ્થાના આ વિભાગ માં રેગ્યુલર કેસ ઉપરાંત કેટલાક દુર્લભ તેમજ અતિ દુર્લભ કેસ નું નિદાન અને સારવાર ખૂબ જ રાહતદરે થતું હોય છે.

આવો એક કેસ કે જેમાં ૧૨ વર્ષ ની બાળકી ને બંને પગે પરપુરા ( લાલ ચાઠાં પડવા) ની બીમારી થઈ હતી, વધુ માં તપાસ કરતા બાળકી ને IgA Vasculitis એટલે કે નસો નું ઇન્ફ્લેમેશન થયું હતું.જેનું નિદાન આ વિભાગ માં બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર તરીકે સેવા આપતા ડો.ભાર્ગવ પટેલ (એમ.ડી.પીડિયાટ્રિક્સ) એ કર્યું હતું અને સારવાર કરતા બાળકી ને મેજિકલ કહી શકાય તેવો બદલાવ બંને પગે જોવા મળ્યો હતો.

પંચમહાલ જિલ્લા ના ગરીબ લોકો માટે આ હોસ્પિટલ ખૂબ રાહત દરે ઉપયોગી થઇ રહેલ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top